હુંજના ૮૫ જેટલા ખેડૂતો તરબુચનું વાવેતર કરીને લૉકડાઉનમાં લોક થયાનો ઘાટ
કોરોના વાયરસને કારણે દેશ આખો લોકડાઉન છે અને લેનારા કોઇ વેપારી કે દલાલો આવતા નથી ને આવે છે તો ત્રણ ને ચાર રુપયે કિલોના ભાવે ખરીદી કરવાની વાતો કરે છે તો ઉત્પાદન ખર્ચ આઠ થી દશ રુપિયા પડતર તૈયાર થયેલા તૈયાર તરબુચના ધરના ગોપીચંદન જેવો ધાટ થયો છે. અને આ તરબુચ તૈયાર થયા પછી કોલ્ડ મા કે સંગ્રહ કરી શકાય તેમ નથી. એટલે હવે ખેડુત જાય તો કયા જાય તેવો ધાટ થયો છે. શુ સરકાર દ્વારા ખેડૂતો માટે તૈયાર થઈ ગયેલા આવા ફળફળાદી પાકો વેચાણ થઈ શકે તેવી વ્યવસ્થા કરશે ખરુ ?
રમેશભાઇ પટેલ (હુંજ)