જામનગર મ્યુનિ.કમિશનરે માંગી બદલી
જામનગરના મ્યુનિ.કમિશનર સતિષ પટેલ બદલી ઇચ્છી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સરકારને રિકવેસ્ટ કરી અમદાવાદ અથવા તો ગાંધીનગર પોસ્ટીંગ આપવા વિનંતી કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એહવાલ અનુસાર મ્યુનિ.કમિશનર સતિષ પટેલે સરકારને વિનંતી કરી પોતાની અમદાવાદ અથવા તો ગાંધીનગર બદલી કરવા જણાવ્યું છે. જો કે બદલી માગવા પાછળનું કોઇ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. તેઓ ફેબ્રુઆરી 2019થી જામનગર મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)