Post Views:
150
સુરતમાં કોરોના પોઝીટીવના 4 હજાર 838 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. જે પૈકી 650 જેટલા કેસ રત્ન કલાકારોનાં નોંધાઇ ચુક્યા છે. ખાસ કરીને રત્નકલાકારોમાં વધતા કોરોનાના કેસોને લઇને મનપા કમિશનરે ચિંતા વ્યક્ત કરી. મનપા કમિશનરે તાત્કાલિક ધોરણે વીડિયો કોન્ફરન્સ મિટિંગનું આયોજન હાથ ધર્યુ હતુ.