કોંગ્રેસના નેતા ભરતસિંહ સોંલકીની તબીયત નાજૂક, આગામી 24 કલાક મહત્વના
- ભરતસિંહ સોલંકીને ડાયાબિટીસ સહિતની અનેક બીમારીઓ પણ છે
- સતત ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી રહ્યા છે
રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો આંકડો 700 જોવા મળી રહ્યો છે. જો કે, થોડાક દિવસો પહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ પણ 22 જુને કોરોનાના ચપેટમાં આવી ગયા હતા જેથી તેમને સારી સારવાર મળે તે માટે તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરતું અત્યાર સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. તેઓને સતત ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોંલકી છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જો કે વડોદરામાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી અને તેઓને વધુ સારવાર માટે થોડાક દિવસો પહેલા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને અસ્થમા, ડાયાબિટીસ અને હાઈપરટેંશન જેવી અનેક બીમારીઓ છે. જેના કારણે કોરોનામાં તેમની તબિયત વધુ બગડતી જઈ રહી છે.
આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોંલકીની તબીયત નાદુરસ્ત, સારવાર માટે અમદાવાદ ખસેડ્યા
તેમને જણાવી દઈએ કે, થોડાક દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાદુરસ્ત તબિયત જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો જોવા મળી રહ્યો હતો.