બહુચરાજીના રાંતેજ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
- બહુચરાજી તાલુકાના આકબા ગામની પરણીતાને આડા સંબંધોની આડમાં પતિ એ ગળું દબાવી ખૂન કરી દીધું
- બહુચરાજીના નવનિયુક્ત પી.આઈ.મોડીયા દ્વારા ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો
બહુચરાજી તાલુકાના રાંતેજ-રામપુરા વચ્ચે આવેલ નર્મદાની ઝીંઝુવાડા શાખા નહેરમાંથી શનિવારે બપોરે બંને હાથ દોરીથી અને પેટે પથ્થર બાંધેલી હાલતમાં સ્ત્રી ની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ ને બહાર કાઢતા પોલીસ ને હત્યા કરાયા બાદ લાશને નર્મદામાં નાખી દેવામાં આવી હોવાની શંકા જતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી ચોવીસ કલાક ની અંદર જ હત્યાનો ભેદ બહુચરાજી પોલીસે ઉકેલી દીધો હતો. રાંતેજ ગામની સીમમાં પસાર થતી કેનાલમાં લાશ મળતા જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી બહુચરાજી પી.આઈ.એસ.બી.મોડિયા ટીમ બનાવી તપાસ હાથ ધરતા મૃત્યુ પામનાર સ્ત્રી આકબા ગામની હોવાની માહિતી મળતા પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી.
પોલીસે ગામમાં ખાનગી રાહે તપાસ કરતા મૃત્યુ પામનાર સ્ત્રી બે દિવસ થી ગામમાં દેખાયી નહિ હોવાનું જાણવા મળ્યા બાદ તેણીનીના પતિ અને દિયર ને અલગ અલગ રાખી પૂછતાછ કરતા આરોપીઓએ વટાણા વેરી દીધા હતા અને મૃતક ના પતિ પ્રહલાદજી મેરુજી ઝાલાએ મૃતક ને ગામમાં અન્ય પુરૂષ સાથે પ્રેમ સંબંધ હોવાનો વ્હેમ રાખી ગળું દબાવી હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.હત્યા કર્યા બાદ લાશને ઘરમાં પડેલા પલંગ માં સંતાડીને અંધારું થયા બાદ તેના ભાઈ પ્રધાનસંગ સાથે મળી લાશને કોથળામાં ભરી નર્મદા કેનાલમાં નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસ ની સમયસૂચકતા ને કારણે ચોવીસ કલાક કરતા ઓછા સમય માં પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા.
બપોરે હત્યા કર્યા બાદ અંધારૂ થતા લાશને સગેવગે કરી
મૃતક ના પતિ પ્રહલાદસંગ મેરુજી ઝાલા એ ગુરુવારે અઠવાડિયા થી અલગ રહેતી પત્ની કપડાં અને દાગીના લેવા આરોપીના ઘેર આવી ત્યારે તેની પાસેથી મોબાઈલ મળી આવતા આરોપીએ તેનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ ને પલંગ માં સંતાડી અંધારું થતા ભાઈ પ્રધાનસંગ સાથે મળી લાશને કોથળામાં પુરી નર્મદા કેનાલ માં લાશના હાથ બાંધી પેટે પથ્થર બાંધી નાખી દીધી હતી.