જામનગરમાં બંધુઓએ મહિલાને માર મારી ઈજા પહોચાડી

Spread the love
  • મહિલાના પુત્રને પણ માર માર્યાનો આરોપ

જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સાલુપીરની દરગાહ પાસે એક પરિવારના બે શખ્સોએ મહિલા અને તેના પુત્રને લાકડીથી માર માર્યાની સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના દેરની પુત્રી સાથે ઝઘડો કરતા આરોપીઓને ના પડતા બંને શખ્સોએ હુમલો કર્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે બંને શખ્સોની અટકાયત કરવા તાજવીજ હાથ ધરી છે.

જામનગરમાં કાલાવડ નાકા બહાર સતવારા વાડમાં ગઈ કાલે બે શખ્સોએ કરેલી માથાકુટની વિગત મુજબ, અત્રે રહેતી મધુબેન વસરામભાઈ કણજારીયા ઉ.વ. ૪૮ નામની મહિલા પર વિમલ રામભાઈ કાતરીયા અને સુનીલ જેરામભાઈ કણજારીયા રહે. મહાપ્રભુજીની બેઠક વાળા શખ્સોએ પથ્થરથી માથાના ભાગે મારી ઈજા પહોંચાડી તથા અન્ય આરોપીઓ લાકડાના ધોકાથી તેણીના પુત્ર જયેશને જમણા પગે મારી મૂંઢ ઈજા કરી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણીના દેરની દીકરી મીનાક્ષી સાથે ઝઘડો કરતા હોય જેથી મધુબેને આરોપીને ઝઘડોની કરવાનું કહેતા બન્ને આરોપી ઉશ્કેરાઈ જઈ ‘તમો મીનાક્ષીનું કેમ ઉપરાણુ લ્યો છો’ તેમ કહી માતા-પુત્રને ગાળો આપી હુમલો કર્યો હતો. દરબાર ગઢ પોલીસે ફરિયાદના આધારે બંને શખ્સોની અટકાયત કરવા તજવીજ હાથ ઘરી છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!