અરવલ્લીમાં આજે સવારથી શરૂ થઈ મેઘરાજાની સવારી
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે સવારથી અરાવલ્લીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાંપટા પણ પડ્યા છે. આમ અરવલ્લીવાસીઓને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.તદઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ ને બેઠા હતા તે મેઘરાજા ખરા સમયે વરસી ને ખેડૂતો ના વાવણી કરેલા બિયારણ બચી જાવા પામ્યા છે જેથી ખેડૂત આલમ ભગવાન નો આભાર માને છે.