નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા કરવામાં આવેલ વ્રુક્ષારોપણને અસામાજિક તત્વો દ્વારા નુકશાન

Spread the love

નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિજ્ઞાન કેન્દ્રની આસપાસ ૩૦૦ જેટલા વ્રુક્ષો ગયા વર્ષે વાવવામાં આવ્યા છે. આ વ્રુક્ષોનાં સંરક્ષણ માટે ચારે બાજુ કંટાળા તારની વાડ પણ કરવામાં આવેલ છે. આ વ્રુક્ષો ની જાળવણીના કારણે  એક વર્ષમાં ઘટાદાર અને ૧૦ ફૂટ ની ઉંચાઈના થઇ ગયા હતા. તાજેતરમાંજ સંસ્થા દ્વારા વ્રુક્ષોનાં વધામણાં કાર્યક્રમ રાખવામાં આવેલ. ગઈ કાલે કોઈ અસામાજીક તત્વો દ્વારા ૨૦ જેટલા લીમડાના છોડ ના ડાળા તોડીને ફેકી દીધા છે. અને નુકશાન કરેલ છે.

એક બાજુ વ્રુક્ષો ઉછેર માટે લોકો વ્રુક્ષારોપન  કરી રહ્યા છે. અને બીજી બાજુ આ રીતે વ્રુક્ષોને નુકશાન પહોચાડાય છે. વ્રુક્ષોને કરવામાં આવેલ નુકશાન સંદર્ભે લેખીત રજૂઆત પરિક્ષેત્ર વન અધિકારીશ્રી બોરીજ રેન્જને ફરિયાદ કરવામાં આવી છે. સાથે સાથે વન અને પર્યાવરણ મંત્રીશ્રી,કલેક્ટરશ્રી,ગાંધીનગર, મુખ્ય વન સંરક્ષકશ્રી, ડી.એસ.પી,ગાંધીનગર, કમિશ્નરશ્રી,ગાંધીનગર મહાનગરપાલિકા ને આ સંદર્ભે જાણ કરવામાં આવી છે. વન વિભાગે આવા તત્વોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જેથી કરી વ્રુક્ષોનુ છેદન ઓછુ થાય તેવું વ્રુક્ષપ્રેમીઓનું માનવું છે.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!