જૂનાગઢ : માણાવદર આઇટીઆઇમાં ફોર્મ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ

Spread the love

જૂનાગઢ : માણાવદર સ્થિત આઇટીઆઇ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૦ માટે એડમીશન પ્રક્રિયાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા સંચાલિત ઐાઘોગીક તાલીમ સંસ્થા માણવદર ખાતે કાર્યરત છે. સંસ્થામાં પ્રવેશસત્ર ૨૦૨૦ માટે એડમિશન અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થયેલ છે. તા.૨૧/૮/૨૦૨૦ સુધીમાં એડમીશન અંગે રજીસ્ટ્રેશન કરી શકાશે. જેમાં આઇટીઆઇમાં ઉપલબ્ઘ વાયરમેન, ઈલેકટ્રીશયન, વેલ્ડર, ફિટર,મીકેનીક ડીઝલ,કોમપ્યૂટર તેમજ સૂઇંગ એન્ડ ટેકનોલોજી જેવા ટ્રેડ માટે ઘો. ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ રૂબરૂ સંપર્ક કરવા માણાવદર આઇ.ટી.આઇ ની અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!