જ્વેલ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલની મોટી જાહેરાત
- રત્નકલાકારોને મદદ કરવા રૂ.૫૦ કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું
સુરત,
જ્વેલ્સ એન્જ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલે એક મોટી જાહેરાત કરી છે. રત્નકલાકારોને મદદ કરવા માટે રૂ.૫૦ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવી રÌšં છે. આ કાઉન્સિલના રાજેશ શાહે જણાવ્યું હતું કે, છ લોકોની કમિટી એનું સંચાલન કરશે. સાથોસાથ એકલવાયું જીવન જીવતા અને સતત ફેક્ટરીમાં રોકાતા લોકોને ભોજન કરાવવામાં આવશે. આજે કોરોના વાયરસને કારણે જુદા જુદા એકમોને અલગ અલગ અસર થઈ છે.
જેમાં ખાસ કરીને ભારતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ અને જ્વેલરી સેક્ટર્સને ખૂબ મોટી નકારાત્મક અસર થઈ છે. આજે આ બંને ક્ષેત્ર ચીન, હોંગકોંગ અને અમેરિકા સાથે ૮૦ ટકા જેટલું એક્સપોર્ટ કરે છે. પણ છેલ્લા બે મહિનાની અંદર કોરોના વાયરસને કારણે વિશ્વમાં જે Âસ્થતિ ઊભી થઈ છે તેના કારણે તમામ ઉદ્યોગો અને રોજગાર પર તેની નકારાત્મક અસર થઈ છે. આ બંને ક્ષેત્ર સાથે જાડાયેલા જે કારીગરો છે, એ તમામ કારીગરોની ચિંતા કરવા માટે આજે જ્વેલ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલની વીડિયો કોન્ફરન્સ મારફતે એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમા નક્કી કરવામાં આવ્યું છે કે, સીએસઆર એÂક્ટવિટીની અંદર ૫૦ કરોડ રૂપિયા આ ઉદ્યોગ સાથે જે વર્કરો છે એમના માટે વાપરવામાં આવશે.