સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના નવા 11 કેસ નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણના નવા ૧૧ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગર તાલુકામાં નવા કોરોનાના બે કેસ અને પ્રાંતિજ તાલુકામાં એક, તલોદમાં બે, ખેડબ્રહ્મામાં બે, વડાલીમાં બે અને ઇડરમાં બે નવા કેસ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ ૬૧ કેસ નોંધાયા. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો વધુ ૧૧ કેસ સામે આવ્યા છે. જેમાં ગુરુવાર સાંજે ૮ કોરોનાના કેસ આવ્યા હતા અને શુક્રવારે નવા ૧૧ કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જિલ્લામાં ગુરૂવાર અને શુક્રવારના બે દિવસમાં સૌથી વધુ ૧૯ કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા.
આમ અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના ૬૧ દર્દી નોંધાયા છે. ૧૯ દર્દી સાજા થઈને ઘરે ગયા છે. તેમજ કોરોના ત્રણ દર્દીનુ દુ:ખદ અવસાન થયુ છે. હાલ જિલ્લાના ૩૯ દર્દી સારવાર હેઠળ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)