હિંમતનગર તાલુકા/શહેર/ગ્રામ્ય વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Spread the love
  • કન્ટેઇનમેન્ટ ઝોનના લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ

હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે આમુખ-૨ થી લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી સી. જે. પટેલ તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા ૩૪ અન્વયે વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલાં રૂપે COVID-19 નો Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર તાલુકાના હિંમતનગર શહેરના નવિમહોલત પોલોગ્રાઉન્ડ ખાતે પોઝીટીવ આવેલ મુત્તવલ્લી સાબીરભાઇ અ. હકીમભાઇના ઘરથી ચાંદનીવાલા સાબેરાબેન મો. ઇકબાલના ઘર સુધી તથા સામેની લાઇનમાં ઇમામ મેહેફુઝાનિજામુદ્દિનના ઘરથી અ. રઉફ મૈયા એહમદ મુત્તવલ્લીના ઘર સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર તાલુકાના શહેરી વિસ્તારમાં શાંતિપાર્ક પોઝીટીવ આવેલ કમલેશભાઇ સુથારના ઘર નં. ૪૩થી ૪૭ સુધી અને સામેની લાઇનમાં ઘર નં. ૪ થી ૧૧ સુધીના શાંતિપાર્કમાં પોઝીટીવ આવેલ સચિનભાઇની લાઇનમાં ઘર નં. ૨૭ થી ૩૦ તથા સામેની લાઇનમાં ઘર નં. ૧૩થી ૧૭ સુધીના વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર તાલુકાના હિંમતનગર શહેરના ગરીબ નવાઝ મસ્જિદમાં પોઝીટીવ આવેલ લાઇનમાં રહેતા નિઝામુદ્દીન અ. મજીદ ભુરાવાલાના ઘરથી આર.આર. મનસુરી એડવોકેટના ઘર સુધી તથા સામેની લાઇનમાં રાવત મો. સફીઉલ્લાની સારાભાઇ થી નીજામુદીન મો. હસનજીના ઘર સુધી કુલ ૨૧ ઘર અને ૫૩ વસ્તીવાળા વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર તાલુકાના હિંમતનગર શહેરના ટેલીફોન સોસાયટી સિધ્ધાર્થ નગરમાં પોઝીટીવ આવેલ લાઇનમાં રહેતા મણીભાઇ ગલબાભાઇ સુતરીયાના ઘરથી કાંતિભાઇ રામજીભાઇ વણકરના ઘર સુધી તથા સામેની લાઇનમાં રહેતા કેતનકુમાર નટવરભાઇ વિસનગરના ઘરથી દિપકભાઇ જંતિભાઇના ઘર સુધીના વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે.

જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર તાલુકાના શહેરી વિસ્તારના હરીજન વાસમાં પોઝીટીવ આવેલ પ્રવિણભાઇ વેરચંદભાઇ પરમારના ઘરથી માનસિક આશ્રમ સુધી કુલ ઘર ૨ વસ્તી ૨૫ વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં COVID-19 નો કેસ મળી આવેલ હિંમતનગર શહેરના હસનનગરની ખુશ્બુ હોસ્પિટલની પાછળ કોવિડ-૧૯ પોઝીટીવ આવેલ લાઇન મેમણ ઇકબાલભાઇ સિદ્દિકીના ઘર થી આગલોડિયા સિરાજ બિગદાદ અહેમદ ના ઘર સુધીના વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ, વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન-જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુક્યા છે.

બફરઝોન
હિંમતનગર તાલુકાના હિંમતનગર શહેરના નવી મહોલત, બગીચા વિસ્તાર, શ્રીધર સોસાયટી, શિવમ સોસાયટી, કૃષ્ણાનગર સોસાયટી, એલ.આઇ.સી. સોસાયટી, વૈશાલી સોસાયટી, સિધ્ધાર્થનગર, હરીજન વાસ, ઋષિનગર, મેમણ કોલોની, હસનનગ વિસ્તારને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે. આ જાહેરનામા અન્વયે સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ, વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આવશ્યક ચીજવસ્તુનું વેચાણ કરતાં પાસ ધારકો તેમજ ત્યાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને જથ્થાબંધ બજારોને નિયંત્રણમાંથી મુક્તિ આપવામાં આવશે, આ જાહેરનામુ તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ સુધી અમલી રહેશે જો કોઇ આ હુકમનો ભંગ કરતા માલૂમ પડશે તો તેમની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ની કલમ-૧૮૮, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!